પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં બે દિવસેથી ભારે વરસાદને કારણે દરિયો પણ તોફાની બન્યો હતો આ દરમ્યાન બોટમાંથી પડી જતા એક માછીમારનુ મોત થયુ હતુ પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા નવિન નટુભાઈ હળપતિ નામનો માછીમાર દરિયામા બોટ લઇ અને માછીમારી કરવા માટે ગયો હતો તે દરમ્યાન દરિયામા વાતાવરણ ખરાબ હોવાના કારણે બોટમાંથી અકસ્માત પડી જતા નવીનનુ મોત થયુ હતુ આ બનાવને લઈ મૃતક માછીમારના પરિવારમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya