ગીર સોમનાથ 22 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર ડેપો ખાતે માનનીય ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાઝા સાહેબની માંગણીને ધ્યાને લઈને વિભાગીય નિયામક એ.જે. સોલંકી દ્વારા એક મીની નવી બસ ફાળવવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત કોટડા–વેરાવળ નવી બસ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઉદઘાટન પ્રસંગે શિવાભાઈ સોલંકી, ભગુભાઈ પરમાર, માનસિંહભાઈ ચૌહાણ, જીશાનભાઈ નકવી, જીતુભાઈ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કોડીનાર ડેપોના મેનેજર નથવાણી સાહેબ તથા સમગ્ર ડેપો સ્ટાફે લીલી ઝંડી બતાવી નવા રૂટનો પ્રારંભ કર્યો હતો.
આ નવી બસ રૂટ શરૂ થતાં કોટડા, વેરાવળ તથા આસપાસના વિસ્તારના મુસાફરોને, આવાગમનમાં સુવિધા મળશે. મુસાફર જનતાને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ