ભાવનગર 23 ઓગસ્ટ (હિ.સ.) પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:–
ટ્રેન નંબર 09210/09209 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09210 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઑગસ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 20.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 ઑગસ્ટ, 2025 (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 13.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 04.30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ રહેશે.
ટ્રેન નંબર 09210 અને 09209 માટે ટિકિટોની બુકિંગ 24.08.2025 (રવિવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઠહરાવ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ