પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરમા ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. છાયાચોકી નજીક દુકાન બહાર રાખવામા આવેલા સાઇન બોર્ડ, ફુટની લારી અને ટેબલ સહિતની વસ્તુ મનપા દ્વારા કબ્જે કરવામાં આવી હતી.
દુકાનદારોને રસ્તા પર બોર્ડ કે અન્ય કોઇ વસ્તુ નહિં રાખવા સુચના આપી હતી, આ રસ્તા પર ઉભી રહેતી ફ્રુટની લારી પણ મનપા દ્વારા દુર કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya