પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.)પોરબદર જિલ્લામા ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમા વધારો થયો છે પોરબંદર-દ્રારકા રોડ પર આવેલા કાંટેલાથી રીણાવાડ તરફ જતા રસ્તાને વચ્ચેથી તોડી નાંખતા કાંટેલા, રીણાવાડ અને શ્રીનગરના લોકોની મુશ્કેલી વધી છે. સ્થાનીકોન જણાવ્યા અનુસાર ઉપરવાસમા પડેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કાંટેલાથી રીણાવાડા તરફ જતો રસ્તો વચ્ચેનો રસ્તો આજે તંત્રએ એકાએક તોડી પાડયો હતો જેના કારણે કાંટેલા,શ્રીનગર અને રીણાવાડા એમ ત્રણ ગામોની મુશ્કેલી વધી છે. હવે 12 કિમીનો ફેરો કરવો પડશે આ રસ્તો પણ બિસ્માર હાલતમાં છે જેના કારણે કયારેક ઈમરજન્સીમા આ રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ પડશે સ્થાનિકોને વિશ્વાસમા લીધા વિના રસ્તો તોડી પાડવામા આવતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya