પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમા બેફામ બની ને દોડતા વાહનોના કારણે અવરનવાર અકસ્માત બને છે . શનિવારની રાત્રીના નરસંગટેકરી નજીક ઓવર બ્રિજ પર કારે બાઈકને ઠોકર મારતા માતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા જેમા માતાનુ મોત થયુ હતુ. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર નજીકની સોસાયટીમા રહેતા હર્ષ ગોપાલભાઈ મસાણી અને તેમની માતા આશાબેન મોટરસાયકલ નં જીજે-25-એ -2412 રોકડીયા મંદિરથી નરસંગટેકરી તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન ઓવરબ્રિજ પર બેફામ બનીને દોડતી કારે બાઈકે ઠોકર મારતા બન્ને નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જેમા આશાબેનનુ મોત થયુ હતુ પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર કારના ચાલકે બે ત્રણ વાર ઠોકરતા મારી હતી. પોરબંદરમા હિટ એન્ડ રનની ઘટનના અંગે પોલીસે એવુ જણાવ્યુ હતુ અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ થઈ છે તેમની સામે કાર્યવાહી કરવામા આવી રહી છેપોરબંદર શહેરમાં બેફામ બનીને દોડતા વાહનોના કારણે અવારનવાર અકસ્માતની ધટના બને છે ત્યારે શનિવારે બનેલી હિડ એન્ડ રનની ઘટનામા મહિલાએ જીવા ગુમાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya