અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ચાલાલાની પવિત્ર ધરતી પર આવેલ દાન મહારાજની જગ્યા એ દર્શન કરવાનો સૌભાગ્ય દિગ્ગજ નેતાઓને પ્રાપ્ત થયું. આ પાવન પ્રસંગે ધાર્મિક વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય જોવા મળ્યો.
આ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા એ ધામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સમાજસેવા અને રાષ્ટ્રીય વિકાસ માટે તેમની સતત સેવા પ્રેરણાસ્ત્રોત ગણાય છે. સાથે જ IFFCO તથા NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણી એ પણ હાજરી આપી. કૃષિ ક્ષેત્રે તેમનું માર્ગદર્શન તથા સહકારી આંદોલન પ્રત્યેની તેમની દૃષ્ટિ ખાસ મહત્ત્વ ધરાવે છે.
આ પ્રસંગે લોકસાહિત્યના દિગ્ગજ કવિ માયાભાઈ આહીર સાહેબની સાથસંગતિ સૌ માટે યાદગાર બની. તેમની ઉપસ્થિતિએ સાંસ્કૃતિક રંગો ઉમેરતા પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો.
દિગ્ગજ આગેવાનોની ઉપસ્થિતિ અને ધામના દર્શનથી ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓને અલૌકિક આનંદનો અનુભવ થયો. ચાલાલા ધામ પરનો આ પાવન પ્રસંગ માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રેરણાનું કેન્દ્ર બની રહેશે. આવા પ્રસંગો સમાજને એકતા, શ્રદ્ધા અને સેવા ભાવના તરફ દોરી જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai