મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું
ગાંધીનગરના જાસપુરમાં જગત જનની મા ઉમિયા


ગાંધીનગરના જાસપુરમાં જગત જનની મા ઉમિયા


ગાંધીનગરના જાસપુરમાં જગત જનની મા ઉમિયા


ગાંધીનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.

આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande