જામનગરના નાઘેડી ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું કૃષિમંત્રી દ્વારા લોકાર્પણ કરાયું
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના નાઘેડી ગામે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ​મંત્રી રાઘ
નાઘેડી પંચાયત ભવન


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના નાઘેડી ગામે કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ​મંત્રી રાઘવજીભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સરકાર શિક્ષણ, કૃષિ અને માર્ગો જેવી પાયાની સુવિધાઓ સુધારવા માટે પૂરતી ગ્રાન્ટ ફાળવી રહી છે. આ ઉપરાંત, ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે ટેકાના ભાવે જણસની ખરીદી કરીને તેમને મદદરૂપ થઈ રહી છે.

​આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયત સભ્ય લીંબાભાઈ, તેમજ અગ્રણીઓ કુમારપાલસિંહ રાણા, ભરતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, સ્થાનિક સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande