પોરબંદર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર એસીસી કોલોની વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સરકાર હસ્તકના 8 કવાર્ટરમાં ગેરકાયદે કબ્જો કરી રહેતા લોકોનો સમાન તંત્રએ કબ્જે લઈ કવાર્ટરો ખાલી કરાવી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પોરબંદરમા એસીસી કંપની બંધ થયા બાદ કામદારો અને કંપની વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. વર્ષ 2011માં તંત્ર ખરાઈ કરતા કામદારો સિવાયના કેટલાક લોકો કવાર્ટરમાં રહેતા હતા ખરાઈ કરી 2011માં 10થી વધુ કવાર્ટરોને સીલ કરવામા આવ્યા હતા. કેટલાક વર્ષો બાદ 8 જેટલા કવાર્ટરમાં સીલ તોડી કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કબ્જો કરી રહેવા લાગ્યા તો કેટલાક ભાડુતઆત તરીકે રહેવા લાગ્યા હતા. તંત્રને ધ્યાન પર આવતા વખતો વખત નોટીસો આપી હતી છતાં ખાલી ન કરતા પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવ તેમજ મામલતદાર ભરત સંચાણીયા દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી કરવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya