પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તાલુકાના બખરલા ક્લસ્ટરના બખરલા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર ચિંતન ભાલોડીયા તથા આત્માના આસિસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી દ્વારા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમ્યાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિગમ અન્વયે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો, તેના લાભો તથા ખેતીમાં તેની ઉપયોગીતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકના વિકલ્પ રૂપે પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya