પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના છત્રવા ક્લસ્ટરના સેગરસ ગામ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ કાર્યક્રમનુ વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતુ.
નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) યોજના અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતગાર કરવામા આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya