

પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમા ગુરૂવારના સાંજૂના સમયે આકાશમા ધુમાડાના ગોટેગોડા જોવા મળ્યા હતા લોકો રસ્તા પર જોવા માટે દોડી આવ્યા હતા અને કાઇ જગ્યાએ ભિષણ આગ લાગી હોય તેવુ માનવા લાગ્યા હતા ફાયરબ્રિગેડની ઓફિસના ફોન પણ રણકી ઉઠયા હતા આખા શહેરમા ચર્ચાઓનો દૌર શરૂ થયો હતો તપાસ કરતા યુગાન્ડા રોડ નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમા કોઇ થર્મોકોલ મોટો જથ્થો સળગાવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોરબંદર શહેરમા ધુમાડાના કારણે લોકોમા તરેહ તરેહ ની ચર્ચા શરૂ થઇ હતી. સદનસીબે કોઇ મોટી આગની ઘટના બની ન હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya