


પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.)હિંદુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પોરબંદર સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમા, પોરબંદર ખાતે પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ હર્ષ સુનિલભાઈ ગોહેલ, બક્ષી પંચ મોરચા જિલ્લા પ્રમુખ કાંતિભાઈ ઘેડિયા, યુવા મોરચા મહામંત્રી લખુભાઈ કરાવદરા તથા અનેક યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હિંદુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજને વંદન કરી રાષ્ટ્રસેવાના સંકલ્પને દૃઢ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન હાજર આગેવાનો અને કાર્યકર્તાઓએ શિવાજી મહારાજના શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમના આદર્શોને અનુસરવાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya