


અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી પ્રથમ વાર ગુજરાતના ત્રણ દિવસ પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે અમદાવાદની ઓળખ એવા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કર્યું હતું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ આજે અમદાવાદ ખાતે નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરી, પૂજા-અર્ચના કરી હતી.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપા અગ્રણીશ્રીઓ અને આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ