જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા કનકેશ્વરી મંદિર માટે બસ સેવાનો પ્રારંભ
જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ કનકેશ્વરી મંદિર ખાતે દર્શનાર્થે જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ધોરાજી-કનકાઈ રૂટ પર વાયા જૂન
જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા કનકેશ્વરી મંદિર માટે બસ સેવાનો પ્રારંભ


જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.)

જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ કનકેશ્વરી મંદિર ખાતે દર્શનાર્થે જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ધોરાજી-કનકાઈ રૂટ પર વાયા જૂનાગઢ, ખડીયા, બિલખા, મોણપરી, વિસાવદર અને સતાધાર થઈને ચાલશે. વિભાગીય નિયામકવી.બી. ડાંગરે આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી છે.

કનકાઈ મંદિર જવા માટે એસ.ટી. બસનું સમયપત્રક જોઇએ તો બસ ધોરાજીથી સવારે ૮:૩૦ કલાકે,જુનાગઢથી સવારે ૯:૩૦ કલાકે

કનકાઈ પહોંચવાનો સમય: બપોરે ૧૨:૩૦ કલાકે અને આવવામાં

કનકાઈ થી બપોરે ૧૩:૩૦ કલાકે ઉપડશે.

જૂનાગઢ પહોંચવાનો સમય: સાંજે ૧૬:૩૦ કલાકે ધોરાજી પહોંચવાનો સમય સાંજે ૧૭:૩૦ કલાક રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande