જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ
જામનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો .10 અને ધો.12ની પરીક્ષાઓ તા. 26 ફેબ્રુઆરી થી લેવામાં આવનાર છે. જામનગર જિલ્લામાં 28 હજાર થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. ધો .10માં જામનગર માટે 9 સેન્ટર, 59 બિલ્ડીંગ અને 575
પરીક્ષા


જામનગર, 23 ફેબ્રુઆરી (હિ.સ.) :

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો .10 અને ધો.12ની પરીક્ષાઓ તા. 26 ફેબ્રુઆરી થી લેવામાં આવનાર છે. જામનગર જિલ્લામાં 28 હજાર થી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે.

ધો .10માં જામનગર માટે 9 સેન્ટર, 59 બિલ્ડીંગ અને 575 બ્લોકની 17343 વિધાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.12 ( વિજ્ઞાન પ્રવાહ ) માટે 2 સેન્ટર, 10 બિલ્ડીંગ 94 બ્લોકમાં 1905 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

જયારે ધો.12 ( સામાન્ય પ્રવાહ )માં પાંચ સેન્ટર, 31 બિલ્ડીંગ અને 301 બ્લોકમાં 9169 વિધાર્થી પરીક્ષાઓ આપશે. સંસ્કૃત પ્રથમામાં 46 અને સંસ્કૃત મધ્યમામાં 75 વિધાર્થીઓ નોંધાયા છે

તમામ બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી કોપીકેસનું દૂષણ ડામી શકાય.

વિદ્યાર્થીઓની મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. હજી સુધી કોઈ ખાસ ફરિયાદો મળવા પામી નથી. ઉપરાંત જામનગ રમાં એક પણ જર્જરિત ઈમારત માં પરીક્ષા ગોઠવવામાં આવી નથી.

જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ કચેરી દ્વારા પરીક્ષા ની તમામ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત પરીક્ષામાં ચુસ્ત સુરક્ષ વ્યવસ્થા પણ ગોઠવવા માં આવશે જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande