(કેબિનેટ) ઉજ્જૈનને, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડતા 4-લેન કોરિડોરને મંજૂરી આપી
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.). કેન્દ્ર સરકારે 3,839 કરોડ રૂપિયાના ખર્ચે ઉજ્જૈનને, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડતા 4-લેન કોરિડોરને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે તેની બેઠકમાં આ પ્રસ્તા
4-લેન કોરિડોરને મંજૂરી


નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.). કેન્દ્ર સરકારે 3,839 કરોડ રૂપિયાના ખર્ચે ઉજ્જૈનને, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડતા 4-લેન કોરિડોરને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે તેની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે કેબિનેટના નિર્ણયો શેર કર્યા.

મંત્રીએ માહિતી આપી કે મધ્યપ્રદેશમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બદનવાર-પેટલાવાડ-થંદલા-તિમારવાની સેક્શન (એનએચ-752ડી) નું 4-લેન બાંધકામ હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 80.45 કિલોમીટરના કોરિડોરનું નિર્માણ શામેલ છે. આ કોરિડોર ઉજ્જૈનથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના તિમારવાની ઇન્ટરચેન્જ સુધી સીમલેસ 4-લેન ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરીને સરળ બનાવવાનો અને મુસાફરીનો સમય લગભગ એક કલાક ઘટાડવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande