ભાજપ સરકારમાં, દરેક ઘુસણખોરને બહાર કરવામાં આવશે: અમિત શાહ
- કેન્દ્રીય ગૃહમંત્રીએ બીજેવાયએમ કાર્યક્રમમાં વિકાસ, નોકરીઓ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી ગૌહાટી, નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ): ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ), આસામ પ્રદેશ દ્વારા ગૌહાટીના ખાનપરામા
બીજેવાયએમ, આસામ પ્રદેશ દ્વારા ગૌહાટીમાં યોજાયેલા યુવા શક્તિ સમારોહમાં અમિત શાહ


- કેન્દ્રીય ગૃહમંત્રીએ બીજેવાયએમ કાર્યક્રમમાં વિકાસ, નોકરીઓ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી

ગૌહાટી, નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ): ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ), આસામ પ્રદેશ દ્વારા ગૌહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજના રમતગમત મેદાનમાં આયોજિત યુવા શક્તિ સમારોહમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, રવિવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, રાજ્યમાં ઘુસણખોરોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો, અને લોકોને રાજ્યના સામૂહિક વિકાસ માટે ભાજપને મત આપવા વિનંતી કરી. ગૃહમંત્રીએ રવિવારે રાજ્યના 1.5 લાખથી વધુ યુવાનોને સંબોધિત કરતી વખતે આ અપીલ કરી.

બીજેવાયએમના રાષ્ટ્રીય અધ્યક્ષ, તેજસ્વી સૂર્યા પણ આ કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, રાજ્ય ભાજપ પ્રમુખ અને દરંગ-ઉદાલગુરી મતવિસ્તારના સાંસદ દિલીપ સૈકિયા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય મંત્રી પવિત્રા માર્ગેરીટા અને રાજ્ય ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

આ બીજેવાયએમ કાર્યક્રમ દ્વારા, રાજ્યના દરેક જિલ્લાના યુવા મતદારોએ ભાજપનો ચૂંટણી બ્યુગલ વગાડ્યું. આ યુવા શક્તિ સમારોહનું આયોજન આસામના વિકાસ અને ઉત્થાનની યાત્રામાં યુવાનોના સંકલ્પને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આસામની યુવા શક્તિનો આ ભવ્ય મેળાવડો રાજ્યમાં ભાજપના જનસમર્થનનું મજબૂત ચિત્ર રજૂ કરે છે.

તેમણે ઉલ્લેખ કર્યો કે, થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ તેમને ફોન કરીને યુવા સંમેલનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભારતમાં કોઈ પણ રાજકીય પક્ષ આટલું વિશાળ યુવા સંમેલન યોજી શક્યો નથી. તેમણે આસામના યુવાનો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

અમિત શાહે જણાવ્યું હતું કે, હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં આસામમાં વિકાસની પ્રક્રિયા ચાલુ છે. શાહે દાવો કર્યો હતો કે, આસામ સરકારે કોઈપણ ભેદભાવ વિના આશરે 165,000 નોકરીઓ પૂરી પાડી છે, જે રાજ્યના ઇતિહાસમાં એક નોંધપાત્ર પગલું છે.

આ કાર્યક્રમમાં બોલતા, તેમણે કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસન દરમિયાન ચાના બગીચાના કામદારોનું વેતન ₹94 હતું. ભાજપના શાસન દરમિયાન, હિમંત બિસ્વા સરમા સરકારે તેને વધારીને ₹280 કર્યું હતું. કોંગ્રેસ તેના લોકો વિશે વિચારે છે, જ્યારે ભાજપ આસામ વિશે વિચારે છે. ગૃહમંત્રીના મતે, કોંગ્રેસના શાસન દરમિયાન, આસામની ભાષા અને સંસ્કૃતિ (જાતિ, માટી, ભેટી)નું સન્માન કરવામાં આવ્યું ન હતું. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ઐતિહાસિક નાયક લચિત બરફૂકનનો મહિમા વિશ્વ સમક્ષ તેજસ્વી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દરમિયાન, આશરે 10,800 સશસ્ત્ર વ્યક્તિઓએ આત્મસમર્પણ કર્યું છે, જેના પરિણામે રાજ્યમાં શાંતિ અને શિસ્ત મજબૂત થઈ છે. તેમણે દાવો કર્યો હતો કે, ઘુસણખોરો દ્વારા કબજે કરાયેલી મોટી જમીન મુક્ત કરવામાં આવી છે અને આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ, રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે કોંગ્રેસ પાર્ટી પર મોટો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, આગામી ભાજપ સરકારમાં દરેક ઘુસણખોરને હાંકી કાઢવામાં આવશે. તેમણે કોંગ્રેસ પાર્ટીને ઘુસણખોરોનો રક્ષક પણ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી સંસદમાં કંઈ બોલી શકતા નથી; તેઓ ભાગી જાય છે અને જ્યાં દુનિયાભરના લોકો ભારતની તાકાત જોવા આવે છે, ત્યાં તેઓ વિરોધ કરે છે. કોંગ્રેસે ભારતના એઆઈ સમિટનો વિરોધ કર્યો હતો, જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. મોદી અને ભાજપનો વિરોધ કરતી વખતે, રાહુલ ગાંધીએ ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. અમિત શાહે, રાહુલ ગાંધીના આ પગલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપનો વિરોધ કરતા કરતા, રાહુલ ગાંધીએ દેશની ટીકા કરવાનું શરૂ કર્યું છે.

પોતાના સંબોધનના અંતે, તેમણે આસામના લોકોને ફરી એકવાર ભાજપ સરકાર બનાવવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, આ સરકાર વિકાસ અને પારદર્શિતાના તેના વચનોમાં અડગ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande