
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.). લોકસભા મંગળવારે સ્પીકર ઓમ બિરલાને, તેમના પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા સાથે શરૂ થઈ. આ પ્રસ્તાવ કોંગ્રેસના નેતા મોહમ્મદ જાવેદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ચર્ચા દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર જગદંબિકા પાલ સ્પીકરની ખુરશીમાં હાજર હતા. પ્રસ્તાવ પર ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.
શરૂઆતમાં, કેટલાક સભ્યોએ સ્પીકરની ખુરશીમાં પ્રિસાઇડિંગ ઓફિસર જગદંબિકા પાલનાની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. નિયમોનો ઉલ્લેખ કરીને, આ વિપક્ષી સભ્યોએ માંગ કરી હતી કે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોણ સ્પીકરની ખુરશી પર બેસશે તે ગૃહ નક્કી કરે.
એઆઈએમઆઈએમ સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ગૃહના નિયમો અનુસાર, ગૃહની પરવાનગી વિના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં સ્પીકરની ખુરશી પર પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવી ગેરકાયદેસર છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ અને તૃણમૂલ નેતા સૌગત રોયે આ મંતવ્યનો પુનરોચ્ચાર કર્યો.
બીજી તરફ, શાસક પક્ષ તરફથી નિશિકાંત દુબે અને રવિશંકર પ્રસાદે તેનો વિરોધ કર્યો. બંનેએ જણાવ્યું હતું કે, બંધારણમાં એવી જોગવાઈ છે કે ગૃહના નિયમો નક્કી કરે છે કે સ્પીકરને દૂર કરવા માટે સ્પીકરની ખુરશી કોણ લેશે. નિયમોમાં જણાવાયું છે કે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં, પ્રિસાઇડિંગ ઓફિસર કાર્યવાહીનું સંચાલન કરશે.
ત્યારબાદ ચર્ચા શરૂ થઈ, અને 50 થી વધુ વિપક્ષી સભ્યો પરવાનગી માટે ઉભા થયા.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ