તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના આશીર્વાદ લેવા ભક્તિબાપૂ અને દિલીપ સંઘાણી પરિવારની ઉપસ્થિતિ
અમરેલી, 17 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે સ્થિત પવિત્ર ધામમાં પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ મેળવવા માટે પૂજ્ય ભક્તિબાપૂ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે દિલીપભાઈ સંઘાણી તથા ગીતા બેન સંઘાણી પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન ભક્તિબા
તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુના આશીર્વાદ લેવા ભક્તિબાપૂ અને દિલીપ સંઘાણી પરિવારની ઉપસ્થિતિ


અમરેલી, 17 માર્ચ (હિ.સ.) ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે સ્થિત પવિત્ર ધામમાં પૂજ્ય મોરારીબાપુના આશીર્વાદ મેળવવા માટે પૂજ્ય ભક્તિબાપૂ ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે દિલીપભાઈ સંઘાણી તથા ગીતા બેન સંઘાણી પણ હાજર રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન ભક્તિબાપૂ અને સંઘાણી પરિવાર દ્વારા મોરારીબાપુના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. તલગાજરડા ધામમાં સદૈવ આધ્યાત્મિકતા અને સંસ્કારનું અનોખું વાતાવરણ જોવા મળે છે, જ્યાં દેશ-વિદેશથી અનેક ભક્તો મોરારીબાપુના દર્શન માટે આવે છે.

આ પ્રસંગે ધાર્મિક ચર્ચાઓ સાથે સમાજમાં સદભાવ, શાંતિ અને સેવા ભાવના વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે મોરારીબાપુના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા મળે છે.

આ મુલાકાતે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે એક સકારાત્મક સંદેશ આપ્યો છે અને ભક્તોમાં પણ ઉત્સાહનું માહોલ સર્જાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande