સરકે ચુનર ગીત પર એનસીડબ્લ્યુ એ નોરા ફતેહી અને સંજય દત્ત સહિત પાંચ લોકોને સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, સરકે ચુનર ગીત પર નોરા ફતેહી અને સંજય દત્ત સહિત પાંચ લોકોને સમન્સ પાઠવ્યા છે. એનસીડબ્લ્યુ એ કમિશનના મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને, સરકે ચુનર સરકે ગીતમ
રાષ્ટ્રીય મહિલા આયોગ ના અધ્યક્ષ વિજયા રહાટકર


નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, સરકે ચુનર ગીત પર નોરા ફતેહી અને સંજય દત્ત સહિત પાંચ લોકોને સમન્સ પાઠવ્યા છે. એનસીડબ્લ્યુ એ કમિશનના મહિલા આયોગ અધિનિયમ, 1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને, સરકે ચુનર સરકે ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાનો આરોપ લગાવતા મીડિયા અહેવાલોની નોંધ લીધી છે.

પંચે ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ સામગ્રી જાતીસૂચક, વાંધાજનક અને ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી દેખાય છે. પંચે આ બાબતને ગંભીરતાથી લીધી છે.

પંચે અભિનેત્રી નોરા ફતેહી, ગીતકાર રકીબ આલમ, અભિનેતા સંજય દત્ત, નિર્માતા વેંકટ કે. નારાયણ અને દિગ્દર્શક કિરણ કુમારને સમન્સ પાઠવ્યા છે. તેમને 24 માર્ચે બપોરે 12:30 વાગ્યે કમિશન સમક્ષ હાજર થવા અને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિર્ધારિત તારીખે હાજર ન રહેવા પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande