
નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે દેવી સ્કંદમાતાની દૈવી કૃપા અને સૌના કલ્યાણ માટે તેમના આશીર્વાદની માંગણી કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, હાથ જોડીને, હું દેવી સ્કંદમાતાને પ્રાર્થના કરું છું કે, તમારા માતૃત્વના સ્નેહ અને આશીર્વાદ જીવનને પ્રકાશિત કરે. માં અંબેના દર્શન ભક્તિનો અદ્ભુત આનંદ લાવે છે. તે મનમાં શાંતિ અને આધ્યાત્મિક શક્તિ લાવે છે.
તેમણે સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું,
‘सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया। शुभदाऽस्तु सदा देवी स्कंदमाता यशस्विनी’
આનો અર્થ છે, હે ગૌરવશાળી દેવી સ્કંદમાતા, જે હંમેશા સિંહ પર બિરાજમાન છે અને બંને હાથમાં કમળના ફૂલો ધરાવે છે, તે હંમેશા આપણને શુભ પરિણામો આપે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ