
નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સોમવારે શહીદ દિવસ નિમિત્તે મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, આપણે ભારત માતાના બહાદુર સપૂતો, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને નમન કરીએ છીએ. રાષ્ટ્ર માટે તેમની શહાદત, આપણી સામૂહિક સ્મૃતિમાં અંકિત છે. નાની ઉંમરે, તેઓએ અસાધારણ હિંમત અને ભારતની સ્વતંત્રતા માટે અદમ્ય પ્રતિબદ્ધતા દર્શાવી. વસાહતી શાસનની શક્તિથી ડર્યા વિના, તેઓએ અટલ વિશ્વાસ સાથે બલિદાનનો માર્ગ પસંદ કર્યો, રાષ્ટ્રને તેમના જીવનથી ઉપર રાખ્યું. ન્યાય, દેશભક્તિ અને નિર્ભય પ્રતિકારના તેમના આદર્શો અસંખ્ય ભારતીયોના હૃદયને પ્રેરણા આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ