
ગીર સોમનાથ 08 માર્ચ (હિ.સ.) ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ - પ્રાંચી સંચાલિત સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત '૮માં સમૂહ લગ્ન મહોત્સવ' યોજાયો સમૂહ લગ્ન મહોત્સવમાં સમાજના સાવઆગેવાનોઉપસ્થિરહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
આ માંગલિક પ્રસંગે ૪૨ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. તમામ નવદંપતીઓનું વૈવાહિક જીવન સુખમય, શાંતિમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ સુંદર મજાના આયોજનથીઆયોજન થી સમાજમાં સંગઠન અને એકતાની ભાવના મજબૂત બને છે.લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ બચાવી શકાય છે, જે આજના સમયની મોટી જરૂરિયાત છે.
આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કાર્યક્રમની શોભા વધારી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ