સેવા સેતુ કાર્યક્રમથી લાભ મળતા જમનભાઈ વઘેરાએ સરકારનો આભાર માન્યો
જુનાગઢ, 08 માર્ચ (હિ.સ.) જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ તકે લાભાર્થી જમનભાઈ એ જણાવ્યુ હતુ કે, આ સેવાસેતુ કાર્યક્રમ થકી અમોને અને અમારા આજુબાજુના ગ્રામજનો
સેવા સેતુ કાર્યક્રમથી લાભ મળતા જમનભાઈ વઘેરાએ


જુનાગઢ, 08 માર્ચ (હિ.સ.) જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનો એ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો આ તકે લાભાર્થી જમનભાઈ એ જણાવ્યુ હતુ કે, આ સેવાસેતુ કાર્યક્રમ થકી અમોને અને અમારા આજુબાજુના ગ્રામજનોને આવકના દાખલા , જાતિના દાખલા , હેલ્થ કાર્ડ , આયુષ્યમાન કાર્ડ તેમજ સરકારની અનેક યોજનાઓનો એકજ જગ્યા પર લાભ મળેલ છે. ગામના અરજદારો અને ગરીબ પરિવારો ને તાલુકા સુધી ન જવું પડે તે માટે આ કાર્યક્રમ ખૂબ સારો અને પ્રશંસનીય છે. આ તકે તેઓએ સરકારનો અને ઉપસ્થિત પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande