
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ બાબાસાહેબને પાઠવી શ્રદ્ધાંજલિ
ગાંધીનગર,14 એપ્રિલ (હિ.સ.) ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ.આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ