
નવી દિલ્હી, 28 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ઈદ-ઉલ-અઝહાના અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ, આજે દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉજવવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છાઓ. કામના છે કે, આ અવસર આપણા સમાજમાં ભાઈચારા અને ખુશીઓની ભાવનાને વધુ ગાઢ બનાવે. સૌની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ