
નવી દિલ્હી, 29 મે (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિનમ્રતા, ક્ષમાશીલતા અને શ્રેષ્ઠ આચરણના મહત્વને રેખાંકિત કરતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે કહ્યું કે, આ જ ગુણો વ્યક્તિના સાચા આભૂષણો છે અને આ જ મૂલ્યો સાથે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સતત જોડાયેલા છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું, “વિનમ્રતા, ક્ષમાશીલતા અને ઉત્તમ આચરણ જ વ્યક્તિત્વના સાચા આભૂષણો છે. આ ગુણોની સાથે જ આજે દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિમાં સતત જોડાયેલા છે.”
વડાપ્રધાને સંસ્કૃત શ્લોક શેર કર્યો
“तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत।।
વડાપ્રધાને જણાવ્યું કે, આ સુભાષિત દર્શાવે છે કે તેજ, ક્ષમા, અટલ ધૈર્ય, પવિત્ર આચરણ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને અહંકાર મુક્ત વિનમ્ર વ્યક્તિત્વ; આ તમામ ગુણો દૈવી પ્રવૃત્તિ ધરાવતી વ્યક્તિની ઓળખ માનવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ