ઇતિહાસના પાનાંમાં 11 જુલાઈઃ લોકલ ટ્રેનોમાં બોમ્બ ધડાકાઓથી ધ્રૂજી ઉઠ્યું મુંબઈ, 189નાં મોત
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) દેશ-દુનિયાના ઇતિહાસમાં 11 જુલાઈની તારીખ અનેક સારા-નરસા પ્રસંગોને સમાવે છે. આ તારીખે ભારતની આર્થિક રાજધાની મુંબઈને પણ હચમચાવી દીધું હતું. વર્ષ 2006ની 11 જુલાઈની સાંજે લાખો નોકરીયાત લોકો કામ પૂરું કરીને લોકલ ટ્રેનોમાં ઘરે
બોમ્બ વિસ્ફોટમાં ટ્રેન ના ડબ્બાની હાલત


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) દેશ-દુનિયાના ઇતિહાસમાં 11 જુલાઈની તારીખ અનેક સારા-નરસા પ્રસંગોને સમાવે છે. આ તારીખે ભારતની આર્થિક રાજધાની મુંબઈને પણ હચમચાવી દીધું હતું. વર્ષ 2006ની 11 જુલાઈની સાંજે લાખો નોકરીયાત લોકો કામ પૂરું કરીને લોકલ ટ્રેનોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. અચાનક 6 વાગીને 20 મિનિટે ચર્ચગેટથી બોરીવલી જતી ટ્રેનમાં ખાર અને સાંતાક્રુઝ વચ્ચે બોમ્બ ધડાકો થયો.

થોડી જ વારમાં અલગ-અલગ ટ્રેનોમાં ધડાકાની ખબર આવવા લાગી. આગામી થોડા જ મિનિટોમાં સાત બોમ્બ ધડાકા થયા. 189 લોકોનાં મોત થયા અને લગભગ 800 લોકો ઘાયલ થયા. આ તમામ વિસ્ફોટ મુંબઈની લોકલ ટ્રેનોના પ્રથમ વર્ગના ડબ્બાઓમાં થયા હતા. ખાર, બાંદ્રા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશનો પાસે થયેલા આ ધડાકાઓની તપાસમાં ખુલાસો થયો કે ટ્રેનોમાં મૂકાયેલા બોમ્બ આરડીએક્સ, એમોનિયમ નાઇટ્રેટ અને ફ્યુઅલ ઓઇલથી બનાવવામાં આવ્યા હતા. નુકસાન વધુ થાય તે માટે આ બોમ્બોમાં કીલ પણ નાખવામાં આવી હતી. તમામ બોમ્બોને પ્રેશર કુકરમાં મૂકીને ટાઇમર દ્વારા વિસ્ફોટિત કરવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ ઘટનાક્રમ

1922 - હોલીવુડ બાઉલની શરૂઆત.

1979 - અમેરિકન અંતરિક્ષ પ્રયોગશાળા સ્કાયલેબ વિખંડિત થઈને ઓસ્ટ્રિયાના પશ્ચિમ કાંઠા નજીક સમુદ્રમાં પડી.

2002 - ચાંગ શાંગ દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા વડાપ્રધાન બની.

2003 - લાહોરમાં 'દોસ્તી બસ' અને દિલ્હીથી 'સદા-એ-સરહદ' બસનું સંચાલન.

2004 - એચઆઈવી-એડ્સ પર એશિયાઈ મંત્રીઓનું સંમેલન બેંગકોકમાં.

2004 - પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં હાસ્યાસ્પદ ચૂંટણી.

2007 - ચર્ચિત ચિત્રકાર એમ.એફ. હુસૈને ન્યૂયોર્કની કલા પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો.

2008 - પાકિસ્તાનના વજીરિસ્તાન પ્રાંતમાં થયેલા અમેરિકન હવાઈ હુમલામાં 11 લોકો ઘાયલ.

જન્મ

1899 - રાજસ્થાનના દ્વિતીય મુખ્યમંત્રી સી.એસ. વેંકટાચાર.

1902 - ભારતના પ્રથમ રક્ષામંત્રી સરદાર બલદેવ સિંહ.

1956 - અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અમિતાભ ઘોષ.

1857 - ભારતીય ન્યાયાધીશ અને રાજનેતા સી. શંકરન નાયર.

નિધન

1912 - પ્રખ્યાત ફ્રેન્ચ નેત્રરોગ વિશેષજ્ઞ ફર્ડિનાન્ડ મોનોયેર.

1957 - શિયા નિઝારી ઇસ્માઈલી મતના આધ્યાત્મિક નેતા આગા ખાન (તૃતીય).

2003 - ભારતીય લેખક ભીષ્મ સાહની.

2011 - પરમવીર ચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે.

મહત્વપૂર્ણ અવસર

- વિશ્વ જનસંખ્યા દિવસ.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande