ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ પૂર્ણ, પુલ અંતિમ તબક્કામાં
દેહરાદૂન, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડવા માટે નિર્માણ કરવામાં આવી રહેલી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ બનાવવામા
નિર્માણ કરવામાં આવી રહેલી 900 મીટર લાંબી સુરંગ


દેહરાદૂન, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડવા માટે નિર્માણ કરવામાં આવી રહેલી 900 મીટર લાંબી સુરંગનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ બનાવવામાં આવી રહેલો 200 મીટર લાંબો પુલ પણ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.

આ પરિયોજના પૂર્ણ થવાથી બદ્રીનાથ અને કેદારનાથ ધામ આવન-જાવન કરતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકોને પણ મોટી રાહત મળશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું કે, પુલનું નિર્માણ કાર્ય 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ પછી પુલની ગુણવત્તા, સુરક્ષા અને તકનીકી ધોરણોની તપાસ માટે જરૂરી પરીક્ષણ અને અજમાયશની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, હાલમાં રુદ્રપ્રયાગ નગરમાંથી પસાર થતા વાહનોને કારણે અવારનવાર ટ્રાફિકનું દબાણ વધી જાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે. પુલ અને સુરંગ કાર્યરત થયા પછી વાહનોની અવરજવર વધુ વ્યવસ્થિત થશે, યાત્રાનો સમય ઘટશે તથા નગર વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ પણ મોટા પ્રમાણમાં ઘટશે.

જિલ્લા મેજિસ્ટ્રેટએ કહ્યું કે, આ પરિયોજના ફક્ત વાહનવ્યવસ્થાને સુધારવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ચારધામ યાત્રાની સમગ્ર વ્યવસ્થાને સુદૃઢ કરવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે. આનાથી બદ્રીનાથ અને કેદારનાથ ધામ આવનારા લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત, ઝડપી અને સુવિધાજનક અવરજવરનો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર/ ડૉ. વિનોદ પોખરિયાલ/ વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande