
ગંગટોક, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) સિક્કિમના નામચી જિલ્લાના ઝોલુંગે હેઠળ સમરદુંગ ખાતે નિર્માણાધીન એનએચપીસી તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા દુ:ખદ અકસ્માત બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ અને ચાલુ બચાવ કામગીરીની સમીક્ષા કરી.
મુખ્યમંત્રી તમાંગે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલનમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા બચાવ કામગીરી વિશે કેન્દ્રીય ગૃહમંત્રીને વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ અકસ્માત અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ભારત સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
મુખ્યમંત્રીએ આ મુશ્કેલ સમયમાં સિક્કિમના લોકોને તેમની સંવેદનશીલતા, ચિંતા અને સતત સમર્થન બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
દક્ષિણ સિક્કિમના સમરદુંગમાં એનએચપીસી સુરંગમાં, કથિત ગેસ લીકેજ અને કાટમાળ ધસી પડવાથી અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ