તમિલનાડુના મહાબલીપુરમમાં ગુરુવારે દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠક, અમિત શાહ કરશે અધ્યક્ષતા
નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુરુવારે તમિલનાડુના મહાબલીપુરમમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા રાજ્ય અને પોંડિચેરી, અંદમાન-નિ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ


નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુરુવારે તમિલનાડુના મહાબલીપુરમમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા રાજ્ય અને પોંડિચેરી, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ તથા લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15 થી 22 હેઠળ દેશમાં પાંચ ક્ષેત્રીય પરિષદોની સ્થાપના કરવામાં આવી હતી. દક્ષિણી પરિષદના અધ્યક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી હોય છે અને ઉપાધ્યક્ષ સભ્ય રાજ્યોમાંથી કોઈ એકના મુખ્યમંત્રી હોય છે. આ વખતે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય ઉપાધ્યક્ષ હશે. આ બેઠક ગૃહ મંત્રાલયના આંતર-રાજ્ય પરિષદ સચિવાલય દ્વારા તમિલનાડુ સરકારની યજમાનીમાં આયોજિત કરવામાં આવી રહી છે. તેમાં સભ્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, ઉપ-રાજ્યપાલ, પ્રશાસક, દરેક રાજ્યમાંથી બે વરિષ્ઠ મંત્રીઓ, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, સહકારી સંઘવાદના આધારે ટીમ ભારતની અવધારણા રજૂ કરી છે અને ક્ષેત્રીય પરિષદો આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પરિષદો રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સંવાદ અને સહયોગ માટે એક મંચ પૂરો પાડે છે. મોદીના નેતૃત્વમાં પરિષદની બેઠકો સંવાદ દ્વારા સમાધાનનું એક સશક્ત માધ્યમ બની છે.

મંત્રાલયે જણાવ્યું કે, જૂન 2014 થી છેલ્લા બાર વર્ષમાં વિવિધ ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 69 બેઠકો આયોજિત થઈ છે. પરિષદો ફક્ત રાજ્યો વચ્ચેના વિવાદો અને મુદ્દાઓ પર જ ચર્ચા કરતી નથી, પરંતુ રાષ્ટ્રીય મહત્વના વિષયો જેવા કે મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધોની ત્વરિત તપાસ, ફાસ્ટ ટ્રેક વિશેષ ન્યાયાલયોની સ્થાપના, શિક્ષણ સંબંધિત મુદ્દાઓ, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ સંબંધિત વિષયો, જળ વિતરણની પરિયોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને નાગરિક ઉડ્ડયન સંબંધિત બાબતો પર પણ વિચારણા કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande