પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠાની મુલાકાત લીધી
અંબાજી 19 સપ્ટેમ્બર હિ.સ. જલ જીવન મિશન હેઠળ અમલી બનવવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધ
પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠાની મુલાકાત લીધી


અંબાજી 19 સપ્ટેમ્બર હિ.સ.

જલ જીવન મિશન હેઠળ અમલી બનવવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજયના તમામ ગામોને ૧૦૦ ટકા નળ કનેકશન થી આવરી લેવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સધન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લાના પાણી પુરવઠા વિભાગ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની સમીક્ષા બેઠકમાં નળ સે જલ યોજના અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા નળ કનેકશનથી આવરી લેવા માટે ગામોની આંતરીક સુચારૂ પાણી વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલા કામોની જુદા જુદા ગામોની સમીક્ષા કરવામાં આવી હતી.

સચિવશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરી નળ કનેકશનથી વંચિત રહેલા ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં મોનીટરીંગ સેલ અને વાસ્મો વડી કચેરીના મુખ્ય ઇજનેર પા.પુ.બોર્ડની ઝોન-૨ કચેરીના મુખ્ય ઇજનેર, અધિક્ષક ઇજનેર સિવિલ, યાંત્રિક, કાર્યપાલક ઇજનેરો અને યુનિટ મેનજર તથા વાસ્મો અને પા.પુ.બોર્ડના અધિકારી ઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande