રાજકોટ/અમદાવાદ,18 ઓકટોબર (હિ.સ) રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ 31 ઓકટોબર સુધી ચાલશે. આ અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા જન ભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન આગળ વધી રહ્યું છે. જન ભાગીદારી તથા વિવિધ સંસ્થાઓનો પણ આ અભિયાનમાં સહયોગ મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના સીધા માર્ગદર્શનમાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવાઈ રહ્યું છે, ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો, વિવિધ ગલીઓની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાથી ગંદકીની સાથે સાથે બીમારીઓ પણ ઓછી થાય છે, શહેરના રસ્તાઓ સ્વચ્છ સુંદર દેખાય છે.ત્યારે આગામી 31 સુધી યોજાનાર આ અભિયાનમાં લોકોને જોડાવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ