સોમનાથ,18 ઓક્ટોબર (હિ.સ.)
ગીર સોમનાથ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્રારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત કલ કે કલાકાર- શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ:૨૦૨૩-૨૪નું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ- ૧૮ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ શાસ્ત્રીય મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકો પૈકી કુલ - ૯ કલાકારોની કલ કે કલાકાર તરીકે નિર્ણાયકો દ્વારા પસંદગી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ