વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે સેવાસેતુનો 7 ગામના લોકોને લાભ
સોમનાથ,05 ઓકટોબર (હિ.સ.) ગીર સોમનાથ, જિલ્લાના તમામ તાલુકાઓમાં 'સરકાર આપને દ્વાર' અને 'સેવા થકી સુશાસન'ના મંત્રને સાર્થક કરતા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં


સોમનાથ,05 ઓકટોબર (હિ.સ.) ગીર સોમનાથ, જિલ્લાના તમામ તાલુકાઓમાં 'સરકાર આપને દ્વાર' અને 'સેવા થકી સુશાસન'ના મંત્રને સાર્થક કરતા સેવાસેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાંડુવાવ ખાતે યોજાયેલા દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો ચાંડુવાવ અને આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો.

સરકારના જુદા જુદા વિભાગની વિવિધ 55 સેવાઓના સીધા લાભ એક જ સ્થળે મળી રહે તેવા હેતુસર વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં ભાલપરા, ડારી, આદ્રી, નવાપરા, સીમાર, સીડોકર, સુપાસી, કિંદરવા, મલોંઢા, ચાંડુવાવ, દેદા, પાલડી, ચમોડા, છાપરીના અરજદારોને જુદી-જુદી 3537 જેટલી અરજીઓની સેવા પૂરી પાડવામાં આવી હતી.

આ સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે 245 પાસ કન્સેશન, 191 આવકના દાખલા, 183 રાશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી,175 મિલકત આકારણીના ઉતારા, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં 104 લાભાર્થીના ઈ-કે.વાય.સી, 94 આધારકાર્ડમાં સુધારા, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્વયે 51 અરજી, 33 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, 12 રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, 6 કુંવરબાઈનું મામેરૂ જેવી વિવિધ સહાય યોજના અંતર્ગત કુલ 3537 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande