ગોધરા,05 ઓકટોબર (હિ.સ.) યુવાન ના મોત બાદ ઘોઘમ્બાના પોલીસ સ્ટેશન પર હોબાળો થયો હતો, હત્યાના આરોપીઓ મા સામેલ લોકો ને ઝડપી પાડવા ની માંગ સાથે ગામ લોકો એ પોલીસ સ્ટેશન નો ઘેરાવો કર્યો હતો જેમા છેવટે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો
ઘોઘમ્બા ના દાઉદરા ગામે પત્ની ને મોબાઈલ મા મેસેજ કરવા બાબત મા થયેલ મારામારી મા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ યુવાન નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
યુવાન ને પત્ની ને કેમ મોબાઈલ પર મેસેજ કરે છે એમ કહી બે ઈસમો દ્વારા હુમલો કરાયો હતો અને આ હુમલા થી બચવા ભાગવા ની કોશિશ કરતા યુવાન ધાબા પરથી પટકાયો હતો જેમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરા ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થતા મામલો ગરમાયો હતો અને તેના મૃતદેહ ને ઘેર પરત લાવતા ગામ ના લોકો ટોળે વળી ને મૃતદેહ ને રાજગઢ પોલીસ મથકે મુકી દઈ આરોપીઓ ને તાતકાલિક પકડી પાડવા જીદ પકડી હતી
જોકે આગેવાનો ની દરમિયાનગીરી ને લઇ છેવટે મૃતદેહ ને અંતિમયાત્રા માટે લઇ જવાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ