શ્રી વિસનાગરા નાગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી હાટકેશ દાદાનો પાટોત્સવ યોજાયો
ગાંધીનગર 24 એપ્રિલ (હી.સ.): ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે આવેલ પંચદેવ મંદિરમાં શ્રી હાટકેશ દાદા ના ત્રિ
સેકટર- 22 ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર 24 એપ્રિલ (હી.સ.): ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે આવેલ પંચદેવ મંદિરમાં શ્રી હાટકેશ દાદા ના ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન શ્રી વિસનગરા નાગર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. જેમાં પાલખીયાત્રા, રુદ્રાભિષેક, નગર શોભાયાત્રા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડૉ. ભાવેશભાઈ મહેતા નો કાર્યકર પૂર્ણ થતા વિદાય આપવામાં આવી હતી અને જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઈ રાવલને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિ પારંપરિક પોશાકમાં સજ્જ નાગર જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ નાગર શ્રેષ્ઠીઓ વિસનગરા નાગર ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી કૌશિક રાવલ, અરુણ બુચ, ડોક્ટર ચેતના બુચ, યુવા અગ્રણી રુચિરભાઈ ભટ્ટ તથા નાગર જ્ઞાતિના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચાંદીના દૈદીપ્યમાન શ્રી હાટકેશ દાદા ને સુશોભિત પાલખી યાત્રામાં શોભાયાત્રા નો આયોજન કરાયું હતું. પારંપરિક શિવ ભજન, હાટકેશનાદ, શંખનાદ તથા આધુનિક સંગીતના તાલે જૂની આગવી શોભાયાત્રા બાદ સૌ નાગર જનો એ જય હાટકેશના નાદ તથા શંખનાદ સાથે શ્રી હાટકેશ દાદા ના ત્રિદિવસીય પાટોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/બિનોદ


 rajesh pande