એનએચઆરસી ના સ્થાપના દિવસ સમારોહમાં, રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ બનશે
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)ના સ્થાપના દિવસ સમારોહમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ બનશે. આ કાર્યક્રમ 16 ઓક્ટોબરે અહીં વિજ્ઞાન ભવનમાં યોજાશે. એનએચઆરસી ના જણાવ્યા અનુસાર, એનએચઆરસી ના અધ્યક્ષ
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)ના સ્થાપના દિવસ સમારોહમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ બનશે. આ કાર્યક્રમ 16 ઓક્ટોબરે અહીં વિજ્ઞાન ભવનમાં યોજાશે.

એનએચઆરસી ના જણાવ્યા અનુસાર, એનએચઆરસી ના અધ્યક્ષ ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમ ઉદ્ઘાટન ભાષણ આપશે. તેમની સાથે કમિશનના સભ્યો ન્યાયાધીશ વિદ્યુત રંજન સારંગી, ન્યાયાધીશ વિજયા ભારતી સયાની અને પ્રિયંક કાનુનગો, મહાસચિવ ભરત લાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

સમારોહ પછી, જેલના કેદીઓના માનવ અધિકારો પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદ યોજાશે. જેલના કેદીઓના અધિકારો અને કલ્યાણ સંબંધિત મુદ્દાઓ પર વિવિધ સત્રો ચર્ચા કરવામાં આવશે. આ સત્રોમાં કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો, રાજદ્વારીઓ, શિક્ષણવિદો, સંશોધકો, કાનૂની નિષ્ણાતો, નાગરિક સમાજના સભ્યો અને માનવ અધિકાર રક્ષકો, વગેરેના પ્રતિનિધિઓ હાજરી આપશે.

તેના 32 વર્ષના ઇતિહાસમાં, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 23 લાખથી વધુ કેસોનો ઉકેલ લાવ્યો છે, જેમાં 2,981 સુઓ મોટો કેસનો સમાવેશ થાય છે. પંચે માનવ અધિકાર ઉલ્લંઘનના પીડિતોને કુલ 263 કરોડ રૂપિયાની રાહત આપવાની ભલામણ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande