ઇન્ડિયન બેંકનો બીજા ક્વાર્ટરનો નફો, 11.5% વધીને ₹૩,૦18 કરોડ થયો
નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2૦25-26 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો
બેંક


નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે ચાલુ

નાણાકીય વર્ષ 2૦25-26 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ૩૦ સપ્ટેમ્બરના

રોજ પૂરા થયેલા, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો

નફો 11.53% વધીને ₹૩,૦18 કરોડ થયો છે.

બેંકે પાછલા નાણાકીય વર્ષ 2૦24-25ના બીજા ક્વાર્ટરમાં ₹2,7૦6 કરોડનો

સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો મેળવ્યો હતો.

ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, ઇન્ડિયન બેંકે

જણાવ્યું હતું કે,” નાણાકીય વર્ષ 2૦25-26 ના બીજા

ક્વાર્ટરમાં બેંકની વ્યાજ આવક વધીને ₹11,964 કરોડ થઈ છે, જે અગાઉના

નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ₹11,125 કરોડ હતી. વધુમાં, બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બીજા ક્વાર્ટરમાં

કુલ લોનના 2.60% સુધી વધી ગઈ, જે સપ્ટેમ્બર 2024 માં 3.48% હતી.

ઇન્ડિયન બેંક 1907 માં સ્થપાયેલી જાહેર ક્ષેત્રની બેંક છે. તે 1 એપ્રિલ, 2020 ના રોજ અલ્હાબાદ

બેંક સાથે મર્જ થઈને ભારતની સાતમી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની. આ બેંક

સરકારની માલિકીની છે અને વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande