ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ ને ત્યાં સ્નેહમિલન યોજાયુ
ગીર સોમનાથ 22 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોતાના નિવાસ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ ને ત્યાં સ્નેહ મિલનનો ભવ્યકાર્યક્રમ યોજાયો. દિવાળીના દિવસો અને નૂતન વર્ષ પૂર્વે લોકોમાં એક અનેરો ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો
સ્નેહમિલન યોજાયો


ગીર સોમનાથ 22 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોતાના નિવાસ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ ને ત્યાં સ્નેહ મિલનનો ભવ્યકાર્યક્રમ યોજાયો. દિવાળીના દિવસો અને નૂતન વર્ષ પૂર્વે લોકોમાં એક અનેરો ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની તો લોકોમાં ખૂબ ઉષા જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય. નેતાઓના નિવાસ્થાની સ્નેહમિલન નું આયોજન ઠેકાણે જોવા મળી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આજના નવા વર્ષના દિવસે માજી કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ ના નિવાસ્થાને એક ભવ્ય સ્નેહ મિલનનું આયોજન થયું હતું તેમાં જિલ્લાભરમાંથી આજના દિવસે સુત્રાપાડા ખાતે જસાભાઈ બારડ ના નિવાસ્થાને સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભરમાંથી લોકોએ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજરી આપી અને નવા વર્ષની શુભકામનાઓ એકબીજા આપી રહ્યા હતા.

ગિર સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા મૂકામે માજી મંત્રી જસાભાઈ બારડ ના નિવાસ્થાને નવા વર્ષના દિવસે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન નવા વર્ષની ઉજવણી 1988 થી સતત અત્યાર સુધી એટલે કે સતત 2025 એટલે કે આજસૂઘી પૂર્વ કેબિનેટ મંત્રીજશાભાઇ બારડ દ્વારા તેના નિવાસ્થાને સુત્રાપાડા મુકામ એક ભવ્ય સ્નેહમિલન નૂ આયોજન કરવામાં આવે છે.

આ સ્નેહ મિલન માં દરેક સમાજના પટેલો વેપારી મિત્રો સગા સંબંધીઓ વડીલો અને તમામ સમાજના જ્ઞાતિ બંધુઓ જોડાય છે અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારબાદ પરંપરા ચાલી આવતી પરંપરા મુજબ નું દેશી ભોજનનૂ આયોજન કરવામાં આવે છે હાલ તો દિવાળીના તહેવારોમાં જ્યાં જુઓ ત્યાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande