શિવરાત્રી દરમિયાન પોરબંદર એસ.ટી.દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે.
પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સમગ્ર ભારતના “મીની કુંભ” ગણાતા”મહા શિવરાત્રિ' મેળાનો ભવનાથ - જુનાગઢ ખાતે શુભારંભ થઈ ગયો છે ત્યારે પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને પણ આ મહા શિવરાત્રી મેળામાં જવા - આવવા માટે કોઈ પણ જાતની અગવડ ન પડે તે હેતુસર પોરબંદર એસ.ટી
Extra buses will be run by Porbandar ST during Shivratri.


Extra buses will be run by Porbandar ST during Shivratri.


Extra buses will be run by Porbandar ST during Shivratri.


પોરબંદર, 24 ફેબ્રુઆરી (હિ.સ.) સમગ્ર ભારતના “મીની કુંભ” ગણાતા”મહા શિવરાત્રિ' મેળાનો ભવનાથ - જુનાગઢ ખાતે શુભારંભ થઈ ગયો છે ત્યારે પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને પણ આ મહા શિવરાત્રી મેળામાં જવા - આવવા માટે કોઈ પણ જાતની અગવડ ન પડે તે હેતુસર પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલનમાં મુકવામાં આવેલ છે. સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ. એમ. રૂઘાણીના જણાવ્યા અનુસાર તા. 22/02/2025 થી 27/02/2025 દરમ્યાન આ એક્સ્ટ્રા બસો પોરબંદર, દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણાથી જુનાગઢ જવા - આવવા માટે કુલ 22 બસોથી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવેલ છે. આ તકે વધુ માં વધુ મુસાફર જનતા ને આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસ માં સ્વરછતા જાળવવા ડેપો મેનજર પી.બી. મકવાણા દ્વારા નમ્ર અપિલ કરવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande