નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.) ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડીપીઆઇઆઇટી) ના સંયુક્ત સચિવ
પંકજ કુમારની અધ્યક્ષતામાં નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (એનપીજી) ની 89મી બેઠક આજે રોડ, રેલ્વે અને
મેટ્રો ક્ષેત્રોમાં માળખાગત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી
હતી.
સરકારી નિવેદન અનુસાર, “આ બેઠકમાં પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે
સુમેળમાં મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન
કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં આઠ પ્રોજેક્ટ્સ (ચાર
રોડ, ત્રણ રેલ્વે અને
એક મેટ્રો)નું મૂલ્યાંકન પીએમ ગતિશક્તિના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવ્યું હતું.જેમાં સંકલિત
મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક અને સામાજિક નોડ્સ સાથે છેલ્લા માઇલ કનેક્ટિવિટી અને
ઇન્ટરમોડલ કોઓર્ડિનેશનનો સમાવેશ થાય છે.
આ પહેલોથી લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો
કરશે, મુસાફરીનો સમય
ઘટાડશે અને પ્રદેશોમાં નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો પહોંચાડશે તેવી અપેક્ષા છે.”
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ