માં બન્યા પછી આથિયા શેટ્ટીએ, બોલીવુડને અલવિદા કહ્યું
નવી દિલ્હી, 22 મે (હિ.સ.) મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ, ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આ વાતની પુષ્ટિ તેના પિતા સુનીલ શેટ્ટીએ પોતે કરી છે. આથિયાનો આ નિર્ણય તેના ચાહકો
આથીયા


નવી દિલ્હી, 22 મે (હિ.સ.) મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બોલિવૂડ

અભિનેત્રી આથિયા શેટ્ટીએ, ફિલ્મ ઉદ્યોગને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આ વાતની

પુષ્ટિ તેના પિતા સુનીલ શેટ્ટીએ પોતે કરી છે. આથિયાનો આ નિર્ણય તેના ચાહકો માટે

મોટો આંચકો છે.

વર્ષ 2015 માં, આથિયાએ ફિલ્મ 'હીરો' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે માત્ર 32 વર્ષની ઉંમરે, તેણે ગ્લેમરની

દુનિયા છોડવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં માતા

બન્યા પછી, આથિયાએ માતૃત્વની

જવાબદારીઓને સંપૂર્ણપણે સ્વીકારવાનું નક્કી કર્યું છે અને તેથી જ તેણે અભિનયથી દૂર

રહેવાનું પસંદ કર્યું છે.

સુનીલ શેટ્ટીએ પોતાની પુત્રી આથિયા શેટ્ટીના, ફિલ્મ ઉદ્યોગ

છોડવાના નિર્ણય વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે,” આથિયાએ આ નિર્ણય

સંપૂર્ણપણે પોતાની મેળે લીધો છે.” સુનિલે કહ્યું, આથિયાએ તેની છેલ્લી ફિલ્મ પછી ઘણી ઓફરો ઠુકરાવી

દીધી હતી. એક દિવસ તે મારી પાસે આવી અને કહ્યું, 'પાપા, હું હવે ફિલ્મોમાં કામ કરવા માંગતી નથીઅને બસ, તે ચાલી ગઈ.

તેમણે વધુમાં ઉમેર્યું, હું તેના નિર્ણયનો સંપૂર્ણ આદર કરું છું. સૌથી

સારી વાત એ છે કે, તેણીએ બીજાના નહીં પણ પોતાના હૃદયની વાત સાંભળી. આ રીતે, સુનિલ શેટ્ટીએ

સ્પષ્ટ કર્યું કે,” આથિયાએ ફિલ્મ જગતથી દૂર રહેવાનો સભાન નિર્ણય લીધો છે.”

આથિયાની કારકિર્દી-

આથિયા શેટ્ટીએ, ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા.

જાન્યુઆરી ૨૦૨૩ માં તેણીના લગ્ન રાહુલ સાથે થયા હતા. માર્ચ 2025 માં, બંને એક સુંદર

પુત્રીના માતાપિતા બન્યા,

જેનું નામ તેમણે 'ઇવારા' રાખ્યું. સુનિલ

શેટ્ટીએ, આથિયાની માતા તરીકેની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું, આજે તે તેના

જીવનની સૌથી સુંદર ભૂમિકા,

માતૃત્વ ભજવી રહી

છે. તે આ નવી સફરને સંપૂર્ણ રીતે જીવી રહી છે અને દરેક ક્ષણનો આનંદ માણી રહી

છે.

ભલે આથિયાનો અભિનય કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય, તેના

ચાહકો માટે આઘાતજનક હતો, પરંતુ ઘણા લોકો

તેના નિર્ણયની પ્રશંસા પણ કરી રહ્યા છે અને તેના નવા જીવન માટે તેને શુભકામનાઓ

પાઠવી રહ્યા છે.

આથિયાએ 2015 માં ફિલ્મ 'હીરો' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેણે બે

ફિલ્મો 'મુબારકા' (2017) અને 'મોતીચૂર ચકનાચૂર' (2019) માં કામ કર્યું

હતું. જોકે, આ ફિલ્મોને

અપેક્ષિત સફળતા મળી ન હતી. તેમ છતાં, લોકોએ આથિયાના અભિનયની પ્રશંસા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande