નીતિશ કુમાર શનિવારે દિલ્હી જશે, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓને મળશે
પટણા, નવી દિલ્હી, 23 મે (હિ.સ.) મુખ્યમંત્રી નીતિશ કુમાર 24 મેના રોજ દિલ્હી જશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓને મળશે. આ બેઠક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે, મોદી આ મહિનાના અંતમાં બે દિવસની બિહારન
નીતીશ


પટણા, નવી દિલ્હી, 23 મે (હિ.સ.)

મુખ્યમંત્રી નીતિશ કુમાર 24 મેના રોજ દિલ્હી

જશે. ત્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓને મળશે. આ બેઠક

એવા સમયે થવા જઈ રહી છે જ્યારે, મોદી આ મહિનાના અંતમાં બે દિવસની બિહારની મુલાકાતે

જવાના છે.

હકીકતમાં, 25 મેના રોજ, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) શાસિત રાજ્યોના

મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. આમાં, એનડીએ શાસિત

મુખ્યમંત્રીઓના કાર્યની સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રમાં એનડીએ સરકાર દ્વારા

કરવામાં આવી રહેલા કાર્ય અંગે મુખ્યમંત્રીઓ પાસેથી પ્રતિભાવ લેવામાં આવશે અને તેની

સમીક્ષા કરવામાં આવશે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રી નીતિશ કુમાર શનિવારે દિલ્હી જશે અને રવિવારે

પ્રધાનમંત્રી મોદી સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.

25મેના રોજ દિલ્હીમાં 21 એનડીએ શાસિત રાજ્યોના

મુખ્યમંત્રીઓની હાજરીમાં, મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાશે, જેમાં સુશાસન, નક્સલવાદ સામે

કાર્યવાહી, જાતિ વસ્તી ગણતરી, ઓપરેશન સિંદૂર

અને બિહાર માટે ચૂંટણી રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા નીતિશ કુમાર 16 ફેબ્રુઆરીએ

દિલ્હીની બે દિવસીય મુલાકાતે ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande