નવી દિલ્હી, 23 મે (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે નવી
દિલ્હીના ભારત મંડપમ ખાતે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકની
અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં,
2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના રોડમેપ પર
ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરના મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને
વહીવટકર્તાઓ ભાગ લેશે.
નીતિ આયોગે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિકસિત ભારત માટે
તમામ રાજ્યોને ટીમ ઇન્ડિયા તરીકે સાથે લેવાની તેમની પ્રતિબદ્ધતાને
અનુરૂપ, વડાપ્રધાન
નરેન્દ્ર મોદી, 24 મેના રોજ નવી
દિલ્હીના ભારત મંડપમ ખાતે નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ વર્ષે
બેઠકનો વિષય 'વિકસિત રાજ્યો
માટે, વિકસિત ભારત @
2047' છે.જેમાં મુખ્ય
ધ્યાન રાજ્યો પર કેન્દ્રિત છે. આ રીતે ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે. ગવર્નિંગ
કાઉન્સિલની બેઠકમાં વિકસિત રાજ્યના વિકસિત ભારત માટેના વિઝન @ 2047 પર ચર્ચા
કરવામાં આવશે.”
કમિશનના જણાવ્યા અનુસાર, “આ બેઠકમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા, કૌશલ્ય વધારવા
અને દેશભરમાં કાયમી રોજગારની તકો ઊભી કરવાના પગલાં પર પણ ચર્ચા કરવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ