નવી દિલ્હી, 23 મે (હિ.સ.)
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ શુક્રવારે ખુલાસો કર્યો કે,” નવી દિલ્હીથી શ્રીનગર જતી
ઇન્ડિગોની એ-321 નીઓ ફ્લાઇટ ખરાબ
હવામાનમાં ફસાઈ ગઈ હોવા છતાં તેને તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં
આવી ન હતી. આના કારણે વિમાનમાં સવાર 220 થી વધુ મુસાફરોના જીવ, જોખમમાં મુકાયા હતા. આ વિમાનમાં
તૃણમૂલ કોંગ્રેસના પાંચ સાંસદો પણ સવાર હતા. જોકે, રાહતની વાત એ હતી કે, વિમાન શ્રીનગર એરપોર્ટ પર
સુરક્ષિત રીતે ઉતર્યું.”
શુક્રવારે એક નિવેદનમાં, ડીજીસીએએ જણાવ્યું હતું કે,” નવી દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગો
એરલાઇન્સના ક્રૂ સભ્યોએ ખરાબ હવામાનથી બચવા માટે બુધવારે પાકિસ્તાનના હવાઈ
ક્ષેત્રમાં પ્રવેશવાની વિનંતી કરી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી.”
આ ઘટના અંગે વિગતવાર માહિતી આપતાં ડીજીસીએએ જણાવ્યું હતું
કે,” વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને ઈજા થઈ નથી. જોકે, વિમાનના આગળના
ભાગ નોઝ રેડોમ ને નુકસાન થયું છે.”
ડીજીસીએએ જણાવ્યું હતું કે,” ઉડ્ડયન નિયમનકાર ખરાબ હવામાનને
કારણે વિમાન અથડાયાની ઘટનાની તપાસ કરી રહ્યું છે.”
ડીજીસીએએ જણાવ્યું હતું કે,” ઇન્ડિગો ક્રૂના નિવેદન મુજબ, તેમણે રૂટ પર
ખરાબ હવામાનને કારણે ઉત્તરી વાયુસેના નિયંત્રણ (આએએફ) ને ડાબી બાજુ
(આંતરરાષ્ટ્રીય સરહદ) જવા વિનંતી કરી હતી, જોકે, તેને મંજૂરી આપવામાં આવી ન હતી. બાદમાં ક્રૂ ખરાબ હવામાનથી
બચવા માટે લાહોરના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પહોંચ્યું, પરંતુ તે પણ
નકારી કાઢવામાં આવ્યું. ઉડ્ડયન નિયમનકારના જણાવ્યા મુજબ, ક્રૂએ શરૂઆતમાં
પાછા ફરવાનો પ્રયાસ કર્યો,
પરંતુ જ્યારે તેઓ
તોફાની વાદળોની નજીક હતા ત્યારે તેઓએ ખરાબ હવામાનમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય
કર્યો. ત્યારબાદ પાયલોટે શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને
ઇમરજન્સીની જાણ કરી, જેના પગલે વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતર્યું.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ