રિલાયન્સ ગ્રુપ ઉત્તરપૂર્વના રાજ્યોમાં, 75 હજાર કરોડનું રોકાણ કરશે: મુકેશ અંબાણી
નવી દિલ્હી, 23 મે (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે,” તેમનું જૂથ ઉત્તરપૂર્વીય રાજ્યોમાં 350 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા, તેની ટેલિકોમ
મુકેશ


નવી દિલ્હી, 23 મે (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના ચેરમેન અને

મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે,” તેમનું જૂથ

ઉત્તરપૂર્વીય રાજ્યોમાં 350 બાયોગેસ પ્લાન્ટ

સ્થાપવા, તેની ટેલિકોમ

સેવાઓ, છૂટક વ્યવસાય અને

સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સનો વિસ્તાર કરવા માટે રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે.”

મુકેશ અંબાણીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 'રાઇઝિંગ નોર્થ

ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025'

ને સંબોધતા

કહ્યું કે,” રિલાયન્સ જિયો ઉત્તરપૂર્વીય રાજ્યોની તમામ શાળાઓ, હોસ્પિટલો, સાહસો અને ઘરોને

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સાથે જોડશે.” તેમણે કહ્યું કે,” જિયોએ પહેલાથી જ પ્રદેશની 90 ટકા વસ્તીને 5 મિલિયનથી વધુ 5G સબ્સ્ક્રાઇબર્સ

સાથે આવરી લીધી છે.જ્યારે આ વર્ષે આ સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.”

મુકેશ અંબાણીએ કહ્યું કે,” જિયોની પ્રાથમિકતા આર્ટિફિશિયલ

ઇન્ટેલિજન્સની ક્રાંતિકારી શક્તિને બધી શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો અને ઘરોમાં લાવવાની રહેશે. તેમણે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને

ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં રિલાયન્સના રોકાણને બમણું કરવાનું પણ વચન

આપ્યું હતું, જેનો લક્ષ્યાંક

રૂ. 75,000 કરોડનો છે.

રિલાયન્સે છેલ્લા 40 વર્ષમાં આ

ક્ષેત્રમાં લગભગ 30,000 કરોડ રૂપિયાનું

રોકાણ કર્યું છે.”

રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન, મુકેશ અંબાણીએ

પ્રદેશના વિકાસને વેગ આપવા માટે છ-મુદ્દાની પ્રતિબદ્ધતા રજૂ કરી, જેમાં રોકાણ, કનેક્ટિવિટી, કૃષિ, સ્વચ્છ ઉર્જા, આરોગ્યસંભાળ અને

રમતગમતનો સમાવેશ થાય છે. આના ભાગ રૂપે, તેમણે ઉત્તરપૂર્વમાં રિલાયન્સ ફાઉન્ડેશનની મુખ્ય પહેલોની

જાહેરાત કરી, જેમાં મણિપુરમાં 150 બેડની નવી

હોસ્પિટલ, મિઝોરમ

યુનિવર્સિટી સાથે જીનોમિક સંશોધન ભાગીદારી અને ગુવાહાટીમાં એક અત્યાધુનિક

ડાયગ્નોસ્ટિક્સ લેબ દ્વારા પ્રદેશમાં વિશ્વસ્તરીય કેન્સર સંભાળ લાવવાનો સમાવેશ થાય

છે.

મુકેશ અંબાણીએ રમતગમત ચેમ્પિયનોની આગામી પેઢીને તૈયાર કરવા

માટે પ્રદેશના તમામ આઠ રાજ્યોમાં ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો સ્થાપવાની યોજના પણ શેર

કરી. રિલાયન્સના વડાએ આ પ્રદેશમાં, સૌર ઉર્જા ઉત્પાદનનો મોટા પાયે વિસ્તાર કરવાની

યોજનાની પણ જાહેરાત કરી. તે મુજબ, અમે 350 સંકલિત સંકુચિત બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને પ્રદેશની વિશાળ

ઉજ્જડ જમીનોને સંપત્તિ-ભૂમિમાં રૂપાંતરિત કરીશું. એમ તેમણે કહ્યું.

વધુમાં તેમણે કહ્યું,

ઉત્તરપૂર્વ એ અનેક રમતોમાં વિશ્વ કક્ષાની પ્રતિભાનો ખજાનો છે. રિલાયન્સ

ફાઉન્ડેશન ઓલિમ્પિક તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે આઠ રાજ્યો સાથે મળીને કામ કરશે, જે આપણા યુવાનોને

આવતીકાલના ઓલિમ્પિકમાં મેડલ વિજેતા બનવા માટે તૈયાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર

મોદીએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય (23-24 મે) 'રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025'નું ઉદ્ઘાટન

કર્યું હતું. આ પ્રસંગે, તેમણે

ઉત્તર-પૂર્વને દેશના વિકાસનું એન્જિન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આ

પ્રદેશ વિકાસ માટે અપાર શક્યતાઓથી ભરેલો છે.”

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande