નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત, ચોર્યાસી તાલુકાના વાસવા ગામે પ્રાકૃતિક તાલીમ શિબિર યોજાઈ
સુરત, 31 મે (હિ.સ.)-પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા અથાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા માસ્ટર ટ્રેનરો દ્વારા ખેડુતોને ગાય આધારિત ખેતી માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજરોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર
Surat


સુરત, 31 મે (હિ.સ.)-પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા અથાય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરતા માસ્ટર ટ્રેનરો દ્વારા ખેડુતોને ગાય આધારિત ખેતી માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજરોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ચોર્યાસી તાલુકાના વાસવા ગામે માસ્ટર ટ્રેનર કિરીટભાઈ પટેલ તથા અન્ય પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા બહેનોએ ગામના ખેડુતોને બીજામૃત, ધન જીવામૃત, દશપર્ણિક અર્ક કેવી રીતે તૈયાર કરીને પ્રાકૃતિક ખેતી કરી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતીમાં જોડીને આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવાનો અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande